વિરમગામના થુલેટા બંધના સ્ટ્રક્ચરને કોઈ નુકસાન નહીં - ભવ્ય વર્મા જિલ્લા કલેકટર અમદાવાદ
અફવાઓને પાયા વિનાની ગણાવી
·Thursday, 30 July 2026 at 01:03 pm

વિરમગામના થુલેટા બંધના સ્ટ્રક્ચરને કોઈ નુકસાન નહીં, માત્ર પાળાનું ધોવાણ થતાં નીચાણવાળા ૫ ગામોના લોકોનું સમયસર સુરક્ષિત સ્થળાંતર કરાયું, કોઈ જાનહાનિ નહીં: ભવ્ય વર્મા, જિલ્લા કલેક્ટર, અમદાવાદ
અમદાવાદ જિલ્લાના વિરમગામ તાલુકામાં થુલેટા ડેમ અંગે વિવિધ માધ્યમોમાં ચાલી રહેલા અહેવાલો સંદર્ભે કલેક્ટર ભવ્ય વર્માએ જણાવ્યું કે વિરમગામ તાલુકાના થુલેટા ગામે આવેલા ચેક ડેમના મૂળ સ્ટ્રક્ચરને કોઈ જ નુકસાન થયું નથી.
વિરમગામ વિસ્તારમાં ૧૦ ઈંચ અને ઉપરવાસમાં ૮ ઈંચથી વધુ ભારે વરસાદને કારણે બંધમાં ક્ષમતા કરતાં બમણી પાણીની આવક થઈ હતી. સમયસર ગેટ ખોલવામાં આવ્યા હોવા છતાં પાણીનો પ્રવાહ વધુ હોવાથી ગેટ સ્ટ્રક્ચરની બાજુના પાળાનું ઓવરટોપિંગ થતાં પાળાનું થોડું ધોવાણ થયાનું શ્રી વર્માએ જણાવ્યું હતું.
પરિણામે, તાત્કાલિકરૂપે તકેદારીના ભાગરૂપે નીચાણવાળા વિસ્તારોમાં આવેલાં પાંચ ગામને અગાઉથી જાણ કરીને સમયસર સુરક્ષિત સ્થળાંતર કરાવવામાં આવ્યું હતું. વહીવટી તંત્રના ત્વરિત પગલાંના કારણે કોઈ જાનહાનિ કે મોટી હોનારતને નિવારી શકાય છે. હાલ પાણીનું લેવલ ઘટતાં જ આગામી એક-બે દિવસમાં ધોવાયેલા પાળાનું તાત્કાલિક સમારકામ હાથ ધરવામાં આવશે તેમ તેમણે ઉમેર્યું હતું.
આ લેખ કેવો લાગ્યો?
શું આ લેખ તમને ઉપયોગી લાગ્યો? શેર કરો:
