હિંમતનગરમાં વિશ્વ હિન્દુ પરિષદના નવીન કાર્યાલય શ્રી રામ ધામ નો સંતો મહંતોની હાજરીમાં શુભારંભ કરવામાં આવ્યો છે આ પ્રસંગે સત્યનારાયણ ભગવાનની કથાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું યોજાયેલા કાર્યક્રમમાં વિશ્વ હિન્દુ પરિષદના ઉત્તર ગુજરાતના પ્રાંત અધ્યક્ષ હર્ષદભાઈ ગિલેટવાલા ઉત્તર ગુજરાત વિશ્વ હિન્દુ પરિષદના પ્રાંત મંત્રી નલિન ભાઈ પટેલ તેમજ સંતો મહંતો વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકર્તાઓ અને શહેરના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે વિશ્વ હિન્દુ પરિષદના સંગઠનને વધુ મજબૂત બનાવવામાં માટે ભાર મૂકવામાં આવ્યો હતો