ચાંદીપુરમ વાયરસ થી ત્રણ વર્ષીય બાળકનું મૃત્યુ
આરોગ્ય વિભાગ ના અધિકારીએ લીધી ગામની મુલાકાત ગામ લોકોને સાવચેતી રાખવાની સલાહ આપી.
·Friday, 31 July 2026 at 07:15 am

અમૃત ઠાકોર
પાટણ.
બનાસકાંઠા જિલ્લાના
ઓગડ તાલુકાના ચાંગા ગામના 3 વર્ષીય બાળક નું ચાંદીપુરમ વાયરસ થી પાટણ ખાતે સારવાર દરમ્યાન મોત થતા આરોગ્ય વિભાગ સતર્ક થયું હતું બનાસકાંઠા જિલ્લા આરોગ્ય વિભાગના રોગ નિયંત્રણ અધિકારી તેમજ અધિક જિલ્લા આરોગ્ય અધિકારી એ ગામની મુલાકાત કરી અસરગ્રસ્ત વિસ્તારોમાં પાવડર નો છંટકાવ કરી ગ્રામજનો ને સાવચેતી રાખવા સૂચનો કર્યા હતા જિલ્લા આરોગ્ય ની ટીમે ગામલોકો મુલાકાત કરી હતી અને ગામમાં દવા અને પાવડર નો છંટકાવ કર્યો હતો આ અંગે સી એચ ઓ વિનાયક સિંઘે જણાવ્યું હતું કે તા 25 ના રોજ દેવીપૂજક સમાજના 3 વર્ષના બાળકને ચાંદીપુરા વાયરસ ના લક્ષણો દેખાતા પાટણ ખાતે સારવાર કરવામાં આવી હતી અને સારવાર દરમ્યાન મોત થયું છે અત્યારે આરોગ્ય વિભાગ દ્વારા સમગ્ર ગામમાં દવા નો છંટકાવ કરવામાં આવી રહ્યો છે હાલ બીજા કોઈ કેસો મળેલ નથી
બાઈટ વિનાયક સિંગ
કોમ્યુનિટી હેલ્થ ઓફિસર
બાઈટ હરદાસભાઈ પટેલ
અગ્રણી ચાંગા.
બાઈટ
ડૉ બ્રિજેશ વ્યાસ
અધિક જિલ્લા આરોગ્ય અધિકારી બનાસકાંઠા
આ લેખ કેવો લાગ્યો?
શું આ લેખ તમને ઉપયોગી લાગ્યો? શેર કરો:
