વરસાદી પાણીના ઝડપી નિકાલ માટે અમદાવાદ મ્યુનિસિપલ કમિશનરશ્રી બંછાનિધિ પાનીએ ગોતા–ગોધાવી કેનાલ અને પશ્ચિમ ઝોનના ડ્રેનેજ પ્રોજેક્ટોની સ્થળ મુલાકાત લીધી
·Friday, 31 July 2026 at 12:41 pm

શહેરમાં વરસાદી પાણીના ઝડપી નિકાલની વ્યવસ્થાને વધુ અસરકારક બનાવવા માટે આજે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના મ્યુનિસિપલ કમિશનર શ્રી બંછાનિધિ પાની દ્વારા ગોતા–ગોધાવી કેનાલ તેમજ પશ્ચિમ ઝોનમાં ચાલી રહેલા વિવિધ ડ્રેનેજ પ્રોજેક્ટોના કામોની સ્થળ પર જઈ સમીક્ષા કરવામાં આવી હતી. મુલાકાત દરમિયાન તેમણે ચાલી રહેલી કામગીરીની પ્રગતિનું નિરીક્ષણ કરી સંબંધિત અધિકારીઓ પાસેથી વિગતો મેળવી હતી.
મ્યુનિસિપલ કમિશનરે અધિકારીઓને તમામ કામગીરી સમયસર, ગુણવત્તાસભર અને નિર્ધારિત ધોરણો મુજબ પૂર્ણ કરવાની સૂચના આપી હતી. સાથે જ વરસાદી પાણીના નિકાલમાં કોઈપણ પ્રકારની વિલંબ અથવા અવરોધ ન સર્જાય તે માટે જરૂરી તકેદારી રાખવા, કામગીરીમાં વધુ ઝડપ લાવવા તથા સતત મોનિટરિંગ રાખવા માટે પણ જરૂરી દિશા-નિર્દેશ આપ્યા હતા.
અમદાવાદ શહેરમાં ચોમાસા દરમિયાન નાગરિકોને વધુ સારી સુવિધા મળી રહે અને વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થા સુદૃઢ બને તે માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વિવિધ વિસ્તારોમાં ડ્રેનેજ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને મજબૂત બનાવવાના કામોને પ્રાથમિકતા આપવામાં આવી રહી છે.
આ લેખ કેવો લાગ્યો?
શું આ લેખ તમને ઉપયોગી લાગ્યો? શેર કરો:
