નવરચિત ઓગડ તાલુકાના થરા ખાતે વહીવટીતંત્ર અને શહેર તાલુકા ભાજપ દ્વારા તિરંગા યાત્રા નું આયોજન કરવામાં આવ્યું હતું તેમાં મામલતદાર ટીડીઓ ચીફ ઓફિસર સહિત પદાધિકારીઓ પોલીસ NCC તેમજ થરના નગરજનો સહિત મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા આ તિરંગા યાત્રા થરા માર્કેટ યાર્ડ ખાતે થી શરૂ થઈ સમગ્ર બજારમાં ફરી ઓગડ વિધા મંદિર ખાતે પૂર્ણ કરાઈ હતી 2 કિમી થી વધુ યાત્રામાં 2 હજાર લોકો જોડાયા હતા સમગ્ર વાતાવરણ દેશ ભક્તિના રંગે રંગાયું હતું