હર ઘર તિરંગા અભિયાન આંગણવાડી માં બાળકો ને તિરંગા નું વિતરણ
·Friday, 14 August 2026 at 07:28 am

સમગ્ર દેશ માં "હર ઘર તિરંગા અભિયાન ને બહોળો પ્રતિસાદ મળી રહ્યો છે ત્યારે અમદાવાદમાં પણ હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત આજરોજ અમદાવાદ શહેરમાં ગોમતીપુર વોર્ડમાં કાશીબાઈ ની ચાલી ખાતે આવેલ "કમલદીપ આંગણવાડી" કેન્દ્ર ખાતે આંગણવાડીમાં આવતા બાળકોમાં રાષ્ટ્રપ્રેમની ભાવના જગાડવા અને તેઓને તિરંગા અભિયાનમાં જોડવા "તિરંગા યાત્રા" નું આયોજન કરવામાં આવેલ, આ પ્રસંગે અમદાવાદ મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડના નવનિયુક્ત સભ્ય ડૉ.નિલય શુક્લા અને ભાજપ ગુજરાત પ્રદેશ અનુસૂચિત જાતિ મોરચા ના અગ્રણી અરવિંદ કતપરા, ICDS ખાતાના મુખ્યસેવિકા જયાબેન જોશી સહિતના આગેવાનો ઉપસ્થિત રહેલ, આ પ્રસંગે બાળકો અને વાલીઓ ને તિરંગાનું વિતરણ કરવામાં આવેલ ઉપરાંત બાળકોને ચોકલેટ અને કેળાનું વિતરણ કરવામાં આવેલ.
આ લેખ કેવો લાગ્યો?
શું આ લેખ તમને ઉપયોગી લાગ્યો? શેર કરો:
