મેટ્રોમાં પ્રતિદિન મુસાફરીનો આંકડો 2લાખ પહોંચ્યો
·Friday, 14 August 2026 at 12:42 pm

અમદાવાદ મેટ્રોએ પ્રતિદિન ૨ લાખ મુસાફરીનો આંકડો હાંસલ કર્યો
ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન (GMRC)ને જણાવ્યુ હતું કે ચાલુ માસ દરમિયાન અમદાવાદ મેટ્રોમાં પ્રતિદિન ૨ લાખ સુધીની મુસાફરી નોંધાઈ છે. ઉલ્લેખીનીય છે કે આ સિદ્ધિ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે યોજાતી IPL, વર્લ્ડ કપ જેવી મોટી ક્રિકેટ મેચો અથવા Coldplay જેવા મોટા મ્યુઝિક કોન્સર્ટ કે કોઈ પણ મેગા ઇવેન્ટ ના હોય તેવા દિવસોની મુસાફરીની સંખ્યા છે.
દરરોજની મુસાફરી માટે મેટ્રોને પ્રથમ પસંદગી બનાવવા બદલ GMRC તમામ મુસાફરોનો આભાર વ્યક્ત કરે છે. મુસાફરોનો વધતો વિશ્વાસ અને સતત સહકાર અમદાવાદ મેટ્રોની સેવાઓને વધુ મજબૂત બનાવવામાં મહત્વપૂર્ણ યોગદાન આપી રહ્યો છે.
ઉલ્લેખનીય છે કે અમદાવાદમાં મેટ્રો મા મુસાફરી કરતા લોકોની સંખ્યા દિન પ્રતિદિન વધી રહી છે અને અનેક લોકો માટે મેટ્રો ઉપયોગી સાબિત થઈ રહી છે અને અમદાવાદ મેટ્રો હવે અમદાવાદીઓ ની લાઈફ લાઈન બની રહી છે
આ લેખ કેવો લાગ્યો?
શું આ લેખ તમને ઉપયોગી લાગ્યો? શેર કરો:
